Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શાપરના ભીમનગરમાં કોલેજીયન યુવતિ કોમલ ચોૈહાણનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળના ભીમનગર-૧માં રહેતી અને ગોંડલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કોમલ વિનુભાઇ ચોૈહાણ (ઉ.૧૯) નામની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કોમલે સાંજે સાતેક વાગ્યે ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે શાપર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કોમલ બે ભાઇ અને બે બહેનમાં બીજી હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ગેરેજ ચલાવે છે. આપઘાતનું કારણ જાણવા શાપર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાન દિકરીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:34 am IST)