Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પડોશમાં ઝઘડો કરતાં પુરૂજીતસિંહને માતા-બહેને રૂમમાં પુરી દેતાં ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં બનાવઃ એકના એક યુવાન દિકરાના આપઘાતથી રજપૂત પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: કાલાવડ રોડ રાણી ટાવર પાછળ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર ગેઇટ નં.-૪ કવાર્ટર નં. ૭૯માં રહેતાં પુરૂજીતસિંહ હરેશભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામના સોરઠીયા રજપૂત યુવાને ઘરમાં દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પુરૂજીતસિંહ એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તે પિતા સાથે પ્લમ્બીંગ કામમાં મદદરૂપ થતો હતો.

જાણવા મળ્યા મુજબ સાંજે પુરૂજીતસિંહને ગેઇટ નં. ૫ પાસે કોઇ છોકરાઓ સાથે માથાકુટ ચડભડ થઇ હતી. તે ત્યાં ઝઘડો કરવા જતો હોઇ જેથી માતા-બહેને તેને સમજાવી ઝઘડો નહિ કરવા કહી ઘરના રૂમમાં બંધ કરી દીધો હતો. એ પછી તેણે આ રૂમમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. થોડી વાર પછી દરવાજો ખોલતાં તે લટકતો દેખાતાં નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

(12:03 pm IST)