Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ- સી.એમ.શેઠ પૌષધ શાળા ખાતે ૩૦૦ તેજસ્વી તારલાઓનું બહુમાન

રાજકોટ,તા.૨૨: શ્રી મહાવીર સેવા ટ્રસ્ટની પ્રેરણાથી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધ શાળા ખાતે રવિવાર તા.૨૧ના રોજ  ગોંડલ સંપ્રદાયના આદર્શયોગીની પૂ.પ્રભાબાઈ મ.સ. આદિ સાધ્વીવૃંદના પાવન સાનિધ્યમાં સ્થાનકવાસી જૈન સમાજના ધોરણ ૧ થી ૬ ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનો શુભારંભ પૂ.શ્વેતાંશીજી મ.સ.એ નમસ્કાર મહા મંત્રનું સ્મરણ કરાવી કરાવેલ. સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે સૌનું સ્વાગત કરી બાળકોને ઝળહળતી સફળતા મેળવવા બદલ બીરદાવેલ.

સાધ્વીરત્ના પૂ.વનિતાબાઈ મહાસતીજી એવમ પૂ.શ્વેતાંજી મહાસતીજીએ બાળકોને હિતશિક્ષા આપતા ફરમાવ્યુ કે માતા - પિતાના ઉપકાર કદી ભૂલવા નહીં. શ્રમજીવી સંઘના મહેશભાઈ મહેતાએ સમસ્ત સંઘોવતી વકતવ્ય આપતા કહ્યું કે શૈક્ષણિક સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવતા રહેજો. નીતિનભાઈ મહેતાએ પ્રસંગોચિત્ત વકતવ્ય આપેલ. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ બાળકોને હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવા જણાવેલ.

ચંદ્રકાંતભાઈ શેઠે બાળકોને કહ્યું કે જિંદગીમાં ચડાવ - ઉતરાવ તો આવ્યા કરે પરંતુ કયારેય હતાશ, નિરાશ કે નાસીપાસ ન થવું. ધ્યેય સાથે આયોજનબધ્ધ સતત પુરુષાર્થ કરતાં જ રહેવું એટલે  સફળતા મળ્યા વગર રહેશે નહીં. લુક એન લર્નના સ્નેહાદીદીએ બાળકોને લુક એન લર્નમાં જોડાવા આહવાન કરેલ.

તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમમાં રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, ટ્રસ્ટીશ્રીઓ અશોકભાઈ મોદી, સુરેશભાઈ કામદાર, શ્રમજીવી સંઘના મંત્રી મહેશભાઈ મહેતા, મહાવીર નગર સંઘના જગદીશભાઈ શેઠ, શેઠ ઉપાશ્રયના નીતિનભાઈ દોશી, ભાજપ અગ્રણી રાજીવભાઈ ઘેલાણી, નાલંદા સંઘના સેવાભાવી નીતિનભાઈ મહેતા, રોયલ પાર્ક યુવક મંડળના ભાવેશભાઈ મહેતા, અજરામર યુવા ગ્રુપના પરીનભાઈ સંઘવી, સરદાર નગર યુવા ગ્રુપના હિમાંશુભાઈ દેસાઈ,  સદર યુવા ગ્રુપના ધર્માંગભાઈ શાહ, શેઠ આરાધના ભવનના મનોજ ડેલીવાળા, લુક એન લર્નના સ્નેહા દીદી મહેતા, જયોતિદીદી તુરખીયા,નયનાદીદી સહિત અનેક અગ્રણીઓના હસ્તે ગોલ્ડ પ્લેટેડ મેડલ, મોમેન્ટ,કલોક, બેગ, રોકડ સહિતથી પુરસ્કૃત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ માટે ચંદ્રકાન્તભાઈ શેઠનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ. તમામ વાલીગણ વતી કુનાલભાઈએ પ્રતિભાવો આપેલ તથા કાર્યક્રમનું  સંચાલન હેમલભાઈ મહેતાએ કરેલ.

મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠના માર્ગદર્શન સાથે જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ તથા રોયલપાર્ક યુવા મંડળના સેવાભાવી સદ્દસ્યો વિજયભાઈ આશર, પ્રતિકભાઈ શેઠ, હસુભાઈ શાહ, જગદીશભાઈ શેઠ, હેમલભાઈ મહેતા, કલ્પેશભાઈ મહેતા, તેજસભાઈ દોમડીયા, દીનેશભાઈ ટીંબડીયા, પ્રતિકભાઈ શાહ, નીતિનભાઈ મહેતા, રાજીવભાઈ ઘેલાણી, મહેશભાઈ મહેતા, મનોજભાઈ ડેલીવાળા, ભાવેશભાઈ મહેતા, વિમલભાઈ કામદાર વગેરે સેવાભાવીઓએ તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમને માટે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમના અંતે પૂ.વનિતાજી મહાસતિજીએ મંગલ પાઠ- માંગલિક ફરમાવેલ તેમ રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘની યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)