Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

શ્યામલાલજીની હવેલીમાં ભવ્ય આંબા મનોરથઃ ગુરૂવારે પૂનમના આંબા મનોરથના દર્શન

રાજકોટ : શહેરની મધ્યે આવેલ સુપ્રસિદ્ધ શ્રી શ્યામલાલજીની હવેલીમાં ગઈકાલે ભીમ અગિયારસ નિમિતે આંબા મનોરથના દર્શનની ઝાંખી થઈ હતી. સમગ્ર વૈષ્ણવોએ તેનો લાભ લીધો હતો. સરકારશ્રીના નિયમોના પાલન સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક સાથે દર્શનનો લાભ લીધો હતો. હવે આગામી તા.૨૪ને ગુરૂવારે પૂનમના આંબા મનોરથના દર્શનની ઝાંખી થશે. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને દર્શનનો લાભ લેવા મુખીયાજી દ્વારા ભાવભર્યુ આમંત્રણ અપાયુ છે. દર્શનનો સમય સાંજના ૬ થી ૭:૩૦ રાખેલ છે. શ્રી શ્યામલાલજીની હવેલી (જૂની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઈન રોડ, જય સીયારામ ભગત પેંડાવાળાની સામે, રાજકોટ. મો.૮૫૧૧૭ ૬૩૭૬૩.

(3:11 pm IST)