Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જીવનનગરમાં સામુહિક સત્યનારાયણ કથા

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, બ્રહ્માનંદ મહિલા સત્સંગ મંડળ, રામેશ્વર મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે મંદિરના પટાંગણમાં સામુહિક સત્યનારાયણની કથા, આરતી, પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિવભકત વિજયભાઇ જોબનપુત્રા, પૂજારી પ્રવિણભાઇ જોશીએ કથાનો મહીમા વર્ણવ્યો હતો. જીવનનગર સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઇ પોપટ, ડો. તેજસ ચોકસી, વિજયભાઇ જોબનપુત્રા, વિનુભાઇ ઉપાધ્યાય, ગોવિંદભાઇ ગોહેલ, પંકજભાઇ મહેતા, પાર્થ ગોહેલ, જેન્તીભાઇ જાની, વી. સી. વ્યાસ, પંકજભાઇ ખખ્ખર, અંકલેશ ગોહિલ, શૈલેષભાઇ પુજારા, બીપીનભાઇ, કેતનભાઇ મકવાણા, હસુભાઇ મોડેસરા, નયનેશભાઇ ભટ્ટ, રાજેશ મોડેસરા, મહીલા મંડળના શોભનાબેન ભાણવડીયા, જયોતિબેન પુજારા, સુનિતાબેન વ્યાસ, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, ભારતીબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, પ્રસન્નાબા વાળા, જયાબેન શાપરીયા, ભારતીબેન ગંગદેવ, અલ્કાબેન પંડયા, ગીતાબેન મકવાણા, કલપનાબેન, યોગીતાબેન જોબનપુત્રા, દક્ષાબેન, પુનમબેન, આરતીબેન, શારદાબેન, કુસુમબેન, નયનાબેન, બીનાબેન, જયશ્રીબેન, હીનાબેન, કૃપાબેન, હીમાબેન, જયોતિબેન, પારૂલબેન, ઇલાબેન વગેરે ભાવીકો તથા રહીશોએ કથામાં ભાગ લીધો હતો.

(3:40 pm IST)