Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

'તું મારી બહેનને કેમ હેરાન કરે છે'...સાજીદ જુણેજા પર સાળો સિકંદર સહિત બે શખ્સોનો હુમલો

પુત્રવધુ અને સાસુને ઝઘડો થતા સાજીદ પત્નીને માવતરે મુકવા જતા ડખ્ખો થયો

રાજકોટ તા. રરઃ જંગલેશ્વરમાં પત્નીને મુકવા ગયેલા મુસ્લીમ યુવાનને 'તું મારી બહેનને કેમ હેરાન કરે છે' કહી તેના સાળા સહિત બે શખ્સોએ લાકડી વડે મારમાર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દુધની ડેરી લાખાજીરાજ શેરી નં. ૧પ/૧૬ના ખુણે રહેતો સાજીદ સુલેમાનભાઇ જુણેજા (ઉ.વ. ર૯) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જંગલેશ્વર શેરી નં. ૧પ/૧૧ માં રહેતો સાળો સિકંદર અને ભુરા જેવો છોકરોના એક અજાણ્યો નામ આપ્યા છે તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે પોતે ઘરે હતો ત્યારે પત્ની આયશાને તેના માવતર જંગલેશ્વરમાં ઇદ કરવા જવું હોઇ અને આ બાબતે મારા મમ્મી રોશનબેન તથા પત્ની આયશાને બોલાચાલી થઇ હતી. જે બાતે માતા રોશનબેને મારા સાસુ રજીયાબેનને ફોન કરી 'તમારી દીકરી સામુ બોલે છે' જેથી તેને તેડી જાવ' અને ઇદ કરી મુકી જજો' તેવી વાત મારા સાસુને કરી હતી, બાદ પોતે ભાઇ સમીર સાથે પત્ની આયશાને મુકવા જંગલેશ્વર શેરી નં. ૧પ/૧૬ માં ગયા ત્યારે મારા માસીજીનો દીકરો સિકંદર સલીમભાઇ અને બીજો એક અજાણ્યો ભુરા જેવો છોકરો બંને જણાએ આવી 'તું મારી બહેનને કેમ હેરાન કરે છે' 'કે તું મુકવા આવેલ છો' તેમ કહી ગાળો આપી સિકંદરે ઉશ્કેરાઇ જઇ ધોકો તથા પાઇપ વડે હુમલો કરી બંનેને ઇજા કરી હતી. આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયાએ તપાસ આદરી છે.

(3:39 pm IST)