Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઉદ્યોગનગરમાં માનસીક ડીપ્રેશનના કારણે હિરેન રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોટાભાઇની કેન્સરની બીમારી જોઇ ન શકતા પગલું ભર્યું

રાજકોટ તા. રરઃ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં માનસીક ડીપ્રેશનના કારણે કોળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧ર માં રહેતો હિરેન ધનજીભાઇ રાઠોડ (ઉ.વ.ર૧) એ ગઇકાલે પોતાના ઘરે પંખા સાથે સાળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક હિરેન બે ભાઇમાં નાનો હતો તે કલર કામ કરતો હતો તેને સંતાનમાં એક પુત્ર છે. તેને દારૂ પીવાની ટેવ હોવાથી વિરનગર કેન્દ્રમાં સારવાર પણ લીધી હતી.

થોડા દિવસ પહેલા મોટાભાઇને કેન્સરની બીમારી હોવાની તેને ખબર પડતા હિરેન ડીપ્રેશનમાં રહેતો હતો. આથી કંટાળી જઇ તેણે આ પગલું ભર્યું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના એએસઆઇ જે. કે. જાડેજાએ તપાસ આદરી હતી.

(3:39 pm IST)