Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કોઠારીયા સોલવન્ટના મુસ્લિમ વૃધ્ધ ભીખુભાઇનું વાંકાનેર બાઉન્ડ્રી નજીક અકસ્માતમાં મોત

રાજકોટ તા. ૨૨: વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન અકસ્માતમાં રાજકોટના મુસ્લિમ વૃધ્ધનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટના બરકતી નગરમાં રહેતાં ભીખુભાઇ મહમદભાઇ માકડ (ઉ.૭૦) વાંકાનેર બાઉન્ડ્રી પાસે હતાં ત્યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ કામ સબબ વાંકાનેર તરફ ગયા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.

(3:45 pm IST)