Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કેરીનું ઉત્‍પાદન વધે તે માટે રાજય સરકાર દ્વારા ખેડુતોને હેકટર દીઠ રૂા. ૪૦ હજારની સહાય

સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આંબાના પાકનો ૪૭,૧૭૬ હેકટર પૈકી સૌથી વધુ ગીર સોમનાથમાં ૧૪,૩૦૦ સૌથી ઓછું બોટાદમાં ૪ હેકટરમાં તથા રાજકોટ જિલ્લામાં ૮૯ અને કચ્‍છ જિલ્લામાં ૧૦,૯૬૦ હેકટર આંબાના પાકનું વાવેતર

રાજકોટ, તા. રર : તાજેતરમાં કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કેરીઓનું ખુબ ઉત્‍પાદન થાય છે અને દેશ વિદેશમાં આપણી કેશર કેરીઓ અને કાચી અથાણાની કેરીઓની નિકાસ  થતી હોય છે. કેરીઓનું ઉત્‍પાદન વધે, તે માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્‍સાહનરૂપે સહાય ચૂકવવામાં આવે છે.

મદદનીશ બાગાયત નિયામકશ્રી બ્રિજેશ જેઠલોજાએ આપેલ માહિતી મુજબ આબાંના એક હેકટર દીઠ વાવેતર માટે રૂ. ૪૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ ૨૫ વીઘા(૪ હેકટર)ની સહાય આંબાના ઘનિષ્ઠ વાવેતર માટે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. આંબાના વાવેતરનો વ્‍યાપ વધારવા બાગાયત ખાતાની, કળષિ યુનિવર્સિટીઓની નર્સરી (રોપ ઉછેર કેન્‍દ્રો), કળષિ સંશોધન કેન્‍દ્રોમાં આંબાની કલમનો ઉછેર થાય છે, જેનું વિતરણ ખેડૂતોને વિનામુલ્‍યે કરાય છે.

બાગાયત સારથી, નવસારી કળષિ યુનિવર્સિટી-નવસારીના જણાવ્‍યા અનુસાર આંબામાં જુદી જુદી અવસ્‍થાએ કેરી ખરવાનું કારણ કુદરતી જ છે. પુષ્‍પવિન્‍યાસમાં સરેરાશ ૨૦૦૦ ફુલો હોય છે. જે પૈકી  ૪૦૦ ઉભયલિંગી અને ૧૬૦૦ નર ફુલો જોવા મળે છે. ૪૦૦ ઉભયલિંગી ફુલો પૈકી ૧૦૦ ઉભયલિંગી ફુલોમાં જ જુવારના દાણા જેવડી કેરી બેસે છે. આમાંથી ૩૦ કેરી જ વટાણા જેવડી થાય, ૧૦ કેરી જ લખોટી જેવડી થાય, ૩ કેરી જ ઇંડા જેટલા કદની થાય.

આંબાની કલમની માગણી માટે સૌરાષ્‍ટ્રભરમાંથી અરજીઓ બાગાયત વિભાગને આવે છે., જેને આબાંની કલમ વિતરણ માટેની બાગાયત વિભાગે મંજૂરી આપે છે. જેથી સૌરાષ્‍ટ્રના ખેડૂતોને ગત વર્ષે અંદાજે  ૬૦ થી ૭૦ હજાર આંબાની કલમનું વિતરણ થયું હતું.

ખેડૂતોને જે કોઇ પણ ફળાઉ પાકના રોપા જોતા હોય તો તેઓએ આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat. gov.in  ઉપર જોઇતા રોપાની સંખ્‍યા સાથે ઓનલાઇન અરજી કરવાની રહે છે.

રાજકોટના સંયુક્‍ત બાગાયત નિયામક આર.એચ. લાડાણીના જણાવ્‍યા અનુસાર આંબામાં કેરીને ખરતી અટકાવવા માટેના ર ટકા યુરીયાનો છંટકાવ કરવો, નિયમીત પીયત આપવું, હોર્મોન ૨૦ પીપીએમ નેપ્‍થેલીક અસેટીક એસીડનો છંટકાવ કરવો, ફુગજન્‍ય રોગો અટકાવવા શોષક પ્રકારની ફુગનાશક સલ્‍ફર WP  ૧ લિટર પાણીમાં ૩ ગ્રામ મુજબનો ઉપયોગ કરવો, ચુસીયા પ્રકારની જીવાત અને મઘીયાના નિયંત્રણથી કેરીનું ખરવાનું અટકાવી શકાય છે. કણી બેસવાની (જુવારના દાણા) અવસ્‍થાએથી લખોટા જેવી કેરી અવસ્‍થાએ આવતો મઘીયો, ડુંખ કોરી ખાનાર ઇયળ તથા ભુકી છારો કાલવ્રણ, સુટી મોલ્‍ડના જૈવિક નિયંત્રણ માટે બિવેરીયા બેઝીયાના ૨૦ ગ્રામ મેટારીઝીયમ એનીસોયલી ૨૦ગ્રામ ગૌમુત્ર ૩૦૦-૫૦૦ મીલી પ્રતી પંપ દીઠ છંટકાવ કરવો.

- આલેખન

પારૂલ આડેસરા

 

 

(3:09 pm IST)