Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક દ્વારા સર્વરોગ નિદાન- રકતદાન કેમ્પ સંપન્ન

રાજકોટઃ સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક દ્વારા (શોપ નં.૪, ટાઈમ સ્કવેર બિલ્ડીંગ, અયોધ્યા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે) સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનાયક ડેન્ટલ કલીનીક અને સૌરાષ્ટ્ર વોલન્ટરીઝ બ્લડ બેંકના સહયોગથી આયોજીત આ કેમ્પમાં ૧૫૦ જેટલા દર્દીઓનું ફ્રી નિદાન કરવામાં આવેલ. ૫૦ થી વધુ રકતદાતઓએ રકતદાન કરી માનવધર્મ બજાવ્યો હતો. મ્યુ.કોર્પો.ના હેલ્થ ઓફીસર ડો.મનિષ છનારાએ સેવા આપેલ. તેમ સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંકના કસ્ટમર સર્વિસ ઓફીસર ખ્યાતિ સોમૈયા (મો.૮૯૮૦૮ ૦૦૨૨૪)ની યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)