Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રવિવારે વઢવાણમાં સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ દ્વારા શૈક્ષણિક- સંગઠન- ગ્લોબલ મહાઅધિવેશન

રાજકોટઃ તા.૨૨, શ્રી પી.એલ. મકવાણા સમાજવાડી ચુડા શહેર પ્રેરીત સૌપ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન દ્વારા આગામી તા.૨૪ના રવિવારે શૈક્ષણિક-સંગઠન- ગ્લોબલ મહાઅધિવેશન મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં આવેલ ગણપતિ ફાટસર મંદિર આશ્રમ ખાતે ૨૪મીના રવિવારે સવારે ૯ થી ૧૨ આયોજીત આ સંમેલનમાં મહંત પૂ. શંભુનાથજી મહારાજ (સંત સવૈયાનાથ સમાધિ સ્થાને ઝાંઝરકાધામ), પૂ.પરમાત્માનંદજી (આર્ષવિદ્યા મંદિર મંુજકા), સંતશ્રી વલ્લભસ્વામીજી (વડતાલધામ), પૂ. મહંત લાલદાસજી બાપુ (ગણપતિ ફાટસર મંદિર- ગાદીપતિ),  અનુ નૌશાદભાઇ સોલંકી ઉપસ્થિત રહેશે.

 આ સંમેલનમાં વણકર સમાજમાં શિક્ષણનો વધુ પ્રચાર / પ્રસાર થાય તેવું આયોજન કરવું, નવા શૈક્ષણિક સંકુલ બનાવવાની દિશામાં આગળ વધવું, સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે ટ્રેનીંગ સેન્ટરો ખોલવા, અગત્યના શહેરોમાં સમાજના વિદ્યાર્થી ભવનો બનાવવાની દિશામાં આગળ વધવુ   રીટાયર્ડ કલાસ ૧-૨ તેમજ IAS - IPS કેડરના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીને માર્ગદર્શન મળી રહે એના માટે મદદરૂપ થવું. સમાજના મધ્યમ - ગરીબ તેમજ અનાયાસે અનાથ થયેલા બાળકોને દતક લઈ શિક્ષિત કરી પગભર બનાવવા મદદરૂપ થવું. કન્યા કેળવણી પર ભાર મુકવો બને તો કન્યા કેળવણી માટે અલગથી સંકુલો બનાવવા.

 સમગ્ર વણકર સમાજને એક તાંતણે બાંધવા પ્રયત્ન કરવો, જે સમાજના કોઇ પ્રશ્નો હોય તો સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાનકારી વલણ અપનાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવું,  સમાજ સંગઠીત રહે એવા પ્રયત્નો કરવા ને કટીબધ્ધ રહેવું.   જ્ઞાતિના યુવાનોને કુટેવો-તેમજ વ્યસન મુકિત માટે સેમીનારો કરવા.   જીલ્લામાં વસતા વણકર સમાજના ધંધાદારી વેપારી ભાઇઓ આગળ આવે એવા પ્રયત્નો કરવા,  જીલ્લા તેમજ જીલ્લા બહાર વસતા વણકર જ્ઞાતિના ઉધોગકારો / બિલ્ડરો / રોકાણકારોને એકત્ર કરી સમાજ ઉપયોગીતા માટે પ્રેરવા પ્રયત્ન કરવો,   નાના - મધ્યમ તથા મોટાકદના વેપારીઓ માટેનું એક પ્લેટફોર્મ ઉભુ કરવા પ્રયત્ન કરવો. સહિતના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

તસ્વીરમાં મુકેશભાઇ મકવાણા, કેશવજી કે. પરમાર, ખી.પુ. પરમાર, બાવલભાઇ ચાવડા, ડો.બી.એમ. મકવાણા, ડો.વી. આર વાણીયા, જે.કે. રાઠોડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)