Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બેભાન હાલતમાં મોરબીના કપીલદેવ અને લાલપરીના લાલસીંગનું મોત

રાજકોટ તા. ૨૨: મોરબી શોભેશ્વર રોડ પર મધુસ્મૃતિ સોસાયટી-૩માંં સોગો સિરામીક પાસે રહેતો કપીલદેવ મીઠુભાઇ યાદવ (ઉ.૪૨) નામનો પરપ્રાંતિય યુવાન બિમારીને કારણે બેભાન થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાંગરે મોરબી જાણ કરી હતી.

બીજા બનાવમાં રાજકોટ લાલપરી પાસે શીવુભા ચોૈહાણની વાડીએ રહેતાં અને મજૂરી કરતાં  લાલસીંગ કાળુભાઇ અદનાણી (ઉ.૬૦) નામના આદિવાસી વૃધ્ધ વહેલી સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:51 am IST)