Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પરાપીપળીયા પાસેથી બેભાન મળેલા અજાણ્યા યુવાનનું મોત

વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર પરાપીપળીયા પાસે ઓનેસ્ટ હોસ્ટેલ નજીકથી અજાણ્યા આશરે ૪૦ થી ૪૫ વર્ષના પુરૂષની લાશ મળતાં ગાંધીગ્રામના પીએસઆઇ એન.એમ. સોલંકી અને કૃષ્ણસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. કોઇ બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:43 am IST)