Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના... એટલે આયંબિલની ઓળી-ક્રાન્તિકારી સંત પારસમુનિ

 આયંબિલની ઓળી  -આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના... જમે છે તો બધાં પણ જેને જમતાં આવડે તેને જિન ઉપાસક કહેવાય! 

આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે. જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ઘાથી આ સાધનાનો લાભ લે છે. નવ દિવસની આ આરાધનાને ઙ્કઆયંબિલની ઓળીલૃકહેવાય છે. ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે.

 આયંબિલ અનાદિકાળથી પડેલાં આહારના સંસ્કાર પર વિજય મેળવવાની પ્રોસેસ છે. સૃષ્ટિના દરેક જીવનો મોટાભાગનો સમય આહાર શોધવામાં, આહાર માટેના પુરુષાર્થમાં અને આહાર ગ્રહણ કરવામાં જ જાય છે. આહાર સંજ્ઞા પર જે વિજય મેળવી શકે છે તે એક ને એક દિવસ અનાહારક પદને એટલે કે મોક્ષને પામે છે. 

આયંબિલ એ મન અને સ્વાદને જીતવાની આરાધના છે. સાધનામાં સહાયક શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથી. સ્વાદ અને મનના કારણે જે અવશ્ય ભોગવવા પડે એવા નિકાચિત કર્મો બંધાય છે. જેને આ ભવે જીભના સ્વાદમાં મજા નહીં, એને આવતા ભવમાં સજા નહીં. એટલે જીભના સ્વાદને મન સુધી પહોેંચવા ન દે તે આયંબિલની આરાધના છે.

આયંબિલની ઓળી  કયારે આવે?

આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં... જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે... ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં... જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે... આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ.

શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?

કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.

આયંબિલ કોણ કરી શકે?

આયંબિલ નાના, મોટા, જૈન-અજૈન બધા જ કરી શકે. આયંબિલ આ ચૈત્ર અને આસો મહિના સિવાય પણ આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય. આયંબિલનો વર્ષીતપ અને સળંગ પણ કરી શકાય.

આયંબિલ કેવી રીતે કરાય?

-આયંબિલમાં એક જ વાર, એક જ જગ્યાએ બેસીને ભોજન લેવાનું હોય.

-એમાં વિગય રહિતનું એટલે તેલ, દ્યી, દૂધ, દહીં, ગોળ અને સાકર વિનાનું, રસ અને સ્વાદ વિનાનું ભોજન લેવાનું હોય.

-જેમ સર્પ એના બીલમાં સડસડાટ ચાલ્યો જાય એમ ખોરાક સ્વાદ માટે વાગોળ્યા વિના આપણા પેટમાં સડસડાટ ચાલ્યો જવો જોઈએ.

આયંબિલમાં શું ખવાય?

દ્યઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.

બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.

મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે.  દ્યી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.

દૈવીશકિતથી પણ શકિતશાળી?

દેવો સર્જિત શ્રીકૃષ્ણની દ્વારકા નગરી પર જયારે દ્વેપાલન ઋષિ કોપાયમાન થયાં અને એને બાળી નાખવા તૈયાર થયાં ત્યારે નેમનાથ પરમાત્માએ કહ્યું... જયાં સુધી નગરીમાં એક પણ વ્યકિત આયંબિલ કરતી હશે ત્યાં સુધી દ્વારકાને કાંઈ જ નહીં થાય. શ્રીકૃષ્ણની વ્યવસ્થા પ્રમાણે વારાફરતી દરરોજ એક દ્યરમાં આયંબિલ થતી. વર્ષો પસાર થઈ ગયાં. દ્વેપાલનઋષિ દ્વારકાને કાંઈ જ ન કરી શકયા! એક આયંબિલમાં આખી નગરીને બચાવવાની તાકાત હોય છે. કેમકે તપના આરાધકના વાઈબ્રેશન્સ્ એવા પાવરફુલ અને પ્રભાવશાળી હોય કે એના ઉપર કોઈ આક્રમણ ન કરી શકે, સૂક્ષ્મશકિત સામે સ્થૂળ-શકિત કાંઈ જ ન કરી શકે. દૈવી શકિત કરતાં પણ આરાધકની શકિત વધારે સમર્થ હોય. જૈનોની સાધનામાં અતુલ્યશકિત હોય છે.

આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આયંબિલતપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તેલ - દ્યી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે,શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે. આયંબિલ ની ઓળી નુ પર્વ વર્ષમાં બે વાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે.આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।,પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે,તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે. ધર્મની દ્રષ્ટિએ તપ એ નિર્જરા માટેનું ઉત્ત્।મોત્ત્।મ સાધન છે.  ઉત્ત્।રાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ક્રોડો ભવોના બાંધેલા કર્મો ની તપ કરવાથી નિર્જરા થાય છે.

આયંબિલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણ પદથી લઇ નમો લોએ સવ્વસાહૂણં સાથે દર્શન,જ્ઞાન,ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.ગ્રંથોમાં આ તપનું મહીમા વર્ણવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે,જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે. આયંબિલ તપ કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે,તેમાં શ્રદ્ઘા સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે.તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્દ્યકાલીન સુધી આ તપની આરાધના કરેલી.આયંબિલ તપની તાકાત એટલી જબરદસ્ત છે કે તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના મોહમય ભાવોમાં પરિવર્તન આવી ગયેલ.

હિન્દુ ધર્મમાં પણ ચૈત્ર નવરાત્રી અને આસોમાસ ની નવરાત્રી માં અનુષ્ઠાનોની સાથે પાંચ તપશ્યર્યા કરે છે જે અંતર્ગત ઉપવાસ, બ્રહ્મશ્યર્ય,ભૂમિ શયન,પોતાની સેવા પોતે જ કરવી તથા ચામડાની વસ્તુનો ત્યાગ.

તપથી લોહી શુદ્ઘ થાય છે,લાલ રકત કણો વધે છે,ચામડી તેજસ્વી બને છે.

સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકતી હોય તો તે શ્રેષ્ઠ છે,પરંતુ કોઇ કારણોસર શકય ન હોય તો છૂટક - છૂટક પણ આયંબિલ કરી શકાય છે જેનાથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.

આયંબિલથી શું લાભ થાય?

આયંબિલમાં જો શ્રદ્ઘા અને સમજ ભળે તો એ સમ્યક્ રૂપે પરિણમે છે. આયંબિલથી આત્મશકિત ખીલે છે. આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે. આયંબિલથી મન પર જીત મેળવી શકાય છે. આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે. આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે. આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે. આયંબિલ આહાર પ્રત્યેની આસકિતને તોડાવે છે.  આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી શકાય છે. આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે. આયંબિલ અનાસકિતથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે. આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગય અ વિકારનું કારણ છે, જયારે આયંબિલ વિકારનું મારણ છે. આયંબિલમાં સાકર અને તેલ-દ્યી રહિતનો આહાર વાપરવાનો હોવાથી લીવરને થોડું રીલેકસેશન મળે છે, અને ઓછું વર્ક કરવું પડે છે.

મેટાબોલીઝમ પ્રોસેસ ધીમી થવાથી લીવર આદિ ઓરગન્સને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે.  લીવરને લગતાં દ્યણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે. શરીર સ્વાસ્થ્યૅં આયંબિલ કરવાથી લોહી શુદ્ઘ થાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે.  રેઝીસ્ટન્સ પાવર વધે છે. શરીરને ડિટોકિસફાય કરે છે. શ્રદ્ઘાથી આયંબિલ કરનારના ચામડીના કોઢ જેવા રોગો પણ દૂર થઈ શકે છે.

ઓઈલ અને સુગર વિના પણ શરીરને પૂરતું પોષણ મળી રહે છે. માનસિક તથ્યૅં સ્વાદ ગ્રંથીને કંટ્રોલ કરે છે. મનની ચંચળતા શાંત થાય છે, તેથી આવેગ, ઉદ્વેગ અને આક્રોશ પણ ઘટે છે.

મનને રીલેકસ કરે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે, જેથી બ્લડપ્રેશર અને હાર્ટએટેકના ચાન્સિસ ઘટી જાય છે, શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે.

આયંબિલમાં નવ દિવસ નવ પદની આરાધનામાં શ્રદ્ઘા સાથે ભાવ સાધના કરનારને અનેરી સિદ્ઘિ પ્રાપ્ત થાય છે. બાહ્ય ક્રિયા સાથે આંતરિક આરાધના અને જ્ઞાન ઉપાસના આત્મશકિતને ખીલવે છે અને સકળ કાર્યને સિદ્ઘ કરે છે. દ્રવ્ય સાધના સાથે ભાવ સાધનાનું બેલેન્સ મોક્ષની યાત્રાને સફળ બનાવે છે.

નવ પદ આયંબિલની ઓળી ની આરાધના ...નવ પદ એટલે...નમો અરિહંતાણં , નમો સિધ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં, નમો દંસણસ્સ , નમો નાણસ્સ, નમો ચરિતસ્સ, નમો તવસ્સ

નવ પદનું સ્મરણ, માળા, જાપ, સાધના દ્વારા આરાધનાને ઉત્કૃષ્ટ બનાવાય. આત્માને શુદ્ઘ વિશુદ્ઘ બનાવાય.

 પ્રથમ પદ

 નમો અરિહંતાણં... ના સ્મરણ સાથે અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ભાવવંદન સાથે પ્રાર્થના કરવાની કે... કયારે અમે વિતરાગ દશાને પ્રગટ કરીએ... રાગ - દ્વેષથી મુકત અરિહંતતાને પ્રાપ્ત કરીએ! 

દ્વિતીય પદ

 નમો સિધ્ધાણં...અનંતા સિદ્ઘ ભગવાનને નમસ્કાર કરી અંતરથી ભાવના ભાવવાની કે... હે ભગવાન! મારે પણ તારા જેવું નિષ્પાપ જીવન જોઈએ છે. મોક્ષમાં જીવન નથી માટે કોઈનો જીવ લેવાની વાત નથી. મારે કાયાથી મુકિત જોઈએ છે! 

તૃતીય પદ

 નમો આયરિયાણં... પદની આરાધના સાથે આચાર્યને વંદન નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે... હે ભગવાન! પ્રવૃત્ત્િ।ઓ તો મેં અનંતા ભવમાં અનંતી વાર બદલી છે. આ ભવમાં ગુરુકૃપાએ વૃત્ત્િ।ઓ બદલાવી શકું એવી કૃપા કરજો! 

ચતુર્થ પદ

નમો ઉવજઝાયાણં...ના સ્મરણ સાથે ઉપાધ્યાયને નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે... અમારા પર એવી કૃપા અને કરુણા કરજો કે અમારી અંદરમાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય અને અમે પણ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પામીએ! 

 પંચમ પદ

નમો લોએ સવ્વ સાહૂણં... લોકમાં બિરાજમાન સર્વ સાધુઓને અને એમના ગુણોને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે... હે ભગવાન! કોઈ પણ સાધુ-સાધ્વી પ્રત્યે અવિનય, અભકિત, અપરાધ કે અશાતના ન થાય એવી જાગૃતિ આપજો... એવી સાવધાની રાખી શકું એવી કૃપા કરજો! 

છઠ્ઠું પદ

 નમો દંસણસ્સ... દર્શન વિશુદ્ઘિની ભાવના સાથે દર્શન ગુણને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે... હે પરમાત્મા! જેનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપને જાણી શકું એવી સમ્યક્ દૃષ્ટિ મારામાં પણ પ્રગટે...!! આંખથી નહીં પણ આત્માથી દર્શન કરી શકું એવી દૃષ્ટિ મને પ્રાપ્ત થાઓ! 

 સાતમું પદ

નમો નાણસ્સ... જ્ઞાન પ્રાગ્ટયના ભાવો સાથે જ્ઞાન ગુણને વંદન નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની કે... હે પરમાત્મા! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અહોભાવ પ્રગટાવી, જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરવાનું સામર્થ્ય આપજો... મારો પુરુષાર્થ પ્રબળ બને અને મારામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાઓ! 

આઠમું પદ

નમો ચરિતસ્સ...ચારિત્ર મોહનીય કર્મોના ક્ષયની ભાવના સાથે ચારિત્ર ધર્મને વંદન કરી દરરોજ એકવાર તો સ્મરણ કરવું કે... હે પ્રભુ! મારે તારો વેશ એકવાર પહેરવો છે! મારા અંત સમય પહેલાં મારા અંતરમાં દીક્ષાના ભાવ પ્રગટે... સંયમ લેવાના ભાવ પ્રગટે એવી કૃપા કરજો... એવી કૃપા કરજો! 

 નવમું પદ

નમો તવસ્સ... અવગુણ શુદ્ઘિ અને આત્મશુદ્ઘિના ભાવો સાથે તપ નામના ગુણને વંદન-નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે... હે ભગવાન! તપ દ્વારા મારે માત્ર કર્મોને જ નહીં, કર્મોના કારણને જ ખપાવવા છે, જેથી ફરી કર્મબંધ થાય જ નહીં. હે ભગવાન! તપ દ્વારા મારે ત્યાગ નથી કરવો, પણ અનાસકત ભાવ કેળવી વૈરાગ્યને પ્રાપ્ત કરવો છે. હે ભગવાન મને એવી શકિત આપ 

આયંબિલની આરાધનાથી શું લાભ થાય ?

આયંબિલમાં જો શ્રદ્ઘા અને સમજ ભળે તો એ સમ્યક્ રૂપે પરિણમે છે,આયંબિલથી આત્મશકિત ખીલે છે. આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે. આયંબિલથી મન પર જીત મેળવી શકાય છે. આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે. આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે. આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે. આયંબિલ આહાર પ્રત્યેની આસકિતને તોડાવે છે. આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી શકાય છે. આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે. આયંબિલ અનાસકિતથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે 

 આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગઈ અવિકારનું કારણ છે, જયારે આયંબિલ વિકારનું મારણ છે 

વર્ધમાન તપની ઓળી 

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્યર્યા થાય છે એમાં એક દ્યણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્યર્યા એ વર્ધમાન તપની ઓળી છે.

 વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. 

એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે.

ત્યાર પછી શકિત, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્યર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્યર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્યર્યા લંબાય. કયારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્યર્યા કરી શકે.

જોકે આવી ર્દીદ્યકાલીન તપશ્યર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ઘ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.

 આમ આયંબિલની ઓળીની આરાધનામાં જોડાઈને નવપદની સાધના દ્વારા તપ-જપ, સ્વરૂપ ચિંતન અને ધ્યાનના પ્રભાવથી આપણે સૌ આપણા જીવનને સાર્થક બનાવી, ભાવિને ઉજ્જવળ બનાવી, શીદ્ય્ર પરમાત્મપદના પથિક બનીએ એ જ શુભ ભાવના

(3:53 pm IST)