Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નક્ષ સોશ્યલ ગ્રુપ દ્વારા કાલે સમુહલગ્નઃ ૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

સંતો- મહંતોની હાજરીમાં દીકરીઓને ૯૦થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટ,તા.૨૨: અહિંના મવડી મેઈન રોડ ઉપર માલવીયા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે નક્ષ સોશ્યલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૨૩ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યાથી સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરેલ છે. જેમાં ૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે સંતો- મહંતો આર્શીવચન પાઠવશે. કરીયાવરમાં દીકરીઓને ૯૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા પ્રિતીબેન પટેલ,નિરવ પટેલ, મેહુલ ભગત, મહેશભાઈ રાઠોડ, મેહુલભાઈ પટેલ, સંગીતાબેન પટેલ, ભાવીકા સરધારા અને ધરમવીરસિંહ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:58 pm IST)