Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

દિવાનપરામાં મશીન પર કામ કરતી વખતે ઘવાયેલા સાજીદભાઇનું મોત

૧૨ દિવસથી સારવાર હેઠળ હતાં: મોત ઇજાથી થયું કે હાર્ટએટેકને કારણે? ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમઃ પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૨: દિવાનપરા-૧૭માં રહેતાં અને ઘર સાથે જ મશીન રિેપરીંગનું કારખાનુ ચલાવતાં સાજીદભાઇ રઝાકભાઇ રાઠોડ (ઉ.વ.૪૨)ને ૧૦/૨ના રોજ લેથ મશીન પર કામ કરતી વખતે પાનુ છટકીને માથામાં લાગી જતાં ઇજા થતાં ગોકુલ હોસ્પિટલમાં સારવારમાં હતાં. બાર દિવસની સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.

સાજીદભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાતે તેમનું મોત થતાં હોસ્પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોના કહેવા મુજબ ઇજાની સારવાર માટે બાર દિવસથી દાખલ હતાં. મોત હાર્ટએટેકથી થયાનું કહેવાયું છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. એ-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. ક્રિપાલસિંહ વધુ તપાસ કરે છે.

(1:02 pm IST)