Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કણકોટમાં અમર હનુમાનજી મંદિરે રવિવારથી ભાગવત સપ્તાહ : ર માર્ચે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ

રાજકોટ તા. ૨૨ : કણકોટ મેઇનરોડ પર આવેલ શ્રી અમર હનુમાનજી દાદાના મંદિરે તા. ૨ ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે આ મંદિરમાં શીવ પરિવાર, રાધેકૃષ્ણ, શની દેવ, ભેરવનાથની મુર્તિઓનું પણ સ્થાપન કરવામાં આવનાર છે. આ નિમિતે મહોત્સવ પૂર્વે તા. ૨૪ થી રવિદાસ બાપુ હરીયાણીના વ્યાસાસને ભાગવત કથા યોજેલ છે. આચાર્ય તરીકે શાસ્ત્રી અનંતરાય ત્રિવેદી સેવા આપશે.

કથા દરમિયાન દરરોજ રાત્રે સંતવાણી થશે. જેમાં તા.૨૪ ના કરીશ્માબેન દેશાણી, નિરવભાઇ ગોંડલીયા, તા. ૨૬ ના શનિવારે ખીમજીભાઇ ભરવાડ, રવિરામબાપુ હરીયાણી અલખની આરાધના કરાવશે.

આ ધર્મોત્સવમાં ધર્મપ્રેમીજનોએ પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં ધર્મોત્સવની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા બકુલદાસ ધરમદાસ હરીયાણી, ટી. કે. ગોંડલીયા, ભાવીન બકુલદાસ હરીયાણી, દિનેશ સી. દેસાણી, તુલસીદાસ ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:23 pm IST)