Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કાલે જિલ્લા ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલનઃ કેન્દ્રીય મંત્રી હરદીપપુરી આવશે

રાજકોટ તા.રરઃ દેશમાં લોકશાહીના પવિત્ર પર્વનો અવસર આવી રહયો છે. ત્યારે પ્રબુદ્ધ નગરજનોની સક્રિયતા અને સહયોગ લોકશાહીના મજબુત આધાર સમાન ચૂંટણીમાં અને મતદાનની જાગૃતિ અર્થે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદનો કાર્યક્રમ તા. ૨૩ને શનિવાર, સાંજે ૬ કલાકે, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, કોટેચા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે તે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડિ કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાની સંયુકત યાદીમાં જણાવે છે.

પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાઉસિંગ અને શહેરી વિકાસ કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપપૂરી ખાસ ઉપસ્થિત રહી પ્રબુદ્ધોને માર્ગદર્શન આપશે. આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભકિત સામે રાષ્ટ્રવિભાજક પરિબળો વચ્ચેનો સંઘર્ષ રહેવાનો છે. ગુજરાતના ગૌરવ શ્રી નરેન્દ્રભાઇ મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા માટેનો અશ્વમેઘ યજ્ઞ યોજાવાનો છે. આ અશ્વમેઘ યજ્ઞમાં સહુનું યોગદાન મહત્વનું છે.

ઉપરોકત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા પ્રબુદ્ધ નાગરિક સેલ ઇન્ચાર્જશ્રી રાજેન્દ્રસિંહ ધારેૈયા તથા જિલ્લા સહ-ઇન્ચાર્જશ્રી જયેશભાઇ પંડયાએ જિલ્લાના તમામ હોદ્દેદારો-કાર્યકર્તા ઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

 

(4:22 pm IST)