Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરના ખબર-અંતર પૂછવા જશે

રાજકોટઃ. તા. ૨૪ના રોજ રવિવારે બપોરે ૨.૦૦ કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપના સિનીયર નેતા હરી વાલા ડાંગરની ખબર-અંતર પૂછવા આવવાના છે તેમના નિવાસ સ્થાને પી.ડી.એમ. કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક જે.ડી. પાઠક મવડી પ્લોટ રાજકોટ તેમની સાથે શહેર ભાજપના નેતાઓ પોલીસ કમિશ્નર, કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર સાથે પોલીસ સ્ટાફ સાથે હાજર રહેશે. નોંધનીય છે કે, હરિભાઈને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ સીનર્જી હોસ્પીટલમાં ઘનિષ્ઠ સારવાર અપાઈ હતી.(૨-૨૯)

 

(4:17 pm IST)