Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ફંડની અપીલ : દરરોજ શહેરના અલગ અલગ વોર્ડમાં રથ મોકલાશે : ટીમ ઈન્દ્રનીલ ફોર યુ

 

રાજકોટ : ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂની આગેવાનીમાં  શહેરમાં તમામ નાગરીકોને શહીદના પરિવાર માટે ફંડની અપીલ કરવા રથ સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઝુંબેશ ઉપાડી છે. ઈન્દ્રનીલભાઈએ જણાવેલ કે સરકાર તરફથી શહીદ સૈનિકોના પરિવાર માટે સીધુ જ ફંડ વેબસાઈટ www.bharatkeveer.gov.in પર કરી શકાય છે.

વોર્ડ નં.૧૬ અને વોર્ડ નં.૩માં ફરેલ રથમાં વોર્ડ- ૩માં દિલીપભાઈ આસવાણી, અતુલભાઈ રાજાણી, ગૌરવભાઈ પુજારા અને વોર્ડ ૧૫માં હારૂનભાઈ ડાકોર, સુરેશભાઈ ગરૈયા, હાજીભાઈ ઓડિયા, રીઝવાનભાઈ ડાકોરા, ઈલ્યાસભાઈ ડાકોરા, મકસુદભાઈ ચાવડા, ૧૫માં વશરામભાઈ સાગઠીયા, વાસુદેવભાઈ ભંભાણી, રમઝાનભાઈ રાઉમા, નઝીમભાઈ મલેક, અક્રમભાઈ દાવદાણી, બિલાલભાઈ ઉઠમણા, લલીતભાઈ પરમાર, મુકેશભાઈ મકવાણા, મુકેશભાઈ ગોસ્વામી, દાસભાઈ મકવાણા, હીરાલાલભાઈ ચાવડા અને વોર્ડ ૬માં જગદીશભાઈ મોરી, આરીફભાઈ ધોણીયા, અરૂણભાઈ કાપડીયા, રાજેશભાઈ રાઠોડ, ગોપાલભાઈ ગમારા, મહેશભાઈ વાળા, રવિભાઈ ખીટ, જીજ્ઞેશભાઈ સોલંકી, રામ ઈકબાલ યાદવ, મીથીલેશકુમાર અવધવાસી, મેહરાબી વાળા, શૈલેષભાઈ ગોસ્વામી, તુષારભાઈ પરમાર, ચિરાગભાઈ પરમાર, વિશાલભાઈ મકવાણા, રસિકભાઈ ગરૈયા, રાજુભાઈ રાઠોડ, જગાભાઈ ગમારા, મુન્નાભાઈ બોરીચા, જીતુભાઈ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:15 pm IST)