Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શાપર-વેરાવળમાં ઝાડમાં લટકી શારદાબેન ગણાવરનો આપઘાત

 શાપર-વેરાવળ, તા.૨૨: શાપર વેરાવળમાં મામાપીર મંદિર પાસે નદીના કાંઠે ઝાડમાં લટકી આદીવાસી મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં મામાપીર મંદિર પાસે આવેલ નદીના કાંઠે લીમડાના ઝાડમાં દોરડુ બાંધી શારદાબેન જુવાનસિંહ ગણાવર (ઉ.વ.૨૭) એ ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.મુકેશભાઇ ચૌહાણે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. મૃતક શારદાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા પોલીસે તપાસ આદરી છે.(૨૩.૧૧)

 

(3:07 pm IST)