Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મુસાફરો રઝળે છે : દરવાજા આડે બસો રાખી દેવાઇ...

રાજકોટ : એસ.ટી. હડતાલને કારણે મુસાફરોની હાલત અત્યંત ખરાબ બની ગઇ છે. રાજયભરમાં આ સ્થિતિ છે. રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે મુખ્ય બસ સ્ટેશન બહાર સેંકડો મુસાફરો આજે સવારે રઝળતા નજરે પડયા હતા. તસ્વીર પણ આવું જ કહી જાય છે, સતત પૂછપરછનો દોર ચાલુ છે, બસ સ્ટેશન બહાર પ્રાયવેટ ટ્રાવેલ્સોની બસો, પ્રાયવેટ ટેક્ષીના થપ્પા છે, પણ ભાડા આસમાને હોય કોઇ મુસાફર જવા તૈયાર નથી, બીજી બાજુ બસ સ્ટેશનના બંને મુખ્ય દરવાજા આડે બસો રાખી દેવાઇ છે, ડેપો ખાલીખમ છે, બસની જગ્યાએ મોટર સાયકલો પાર્ક કરેલી નજરે પડી હતી. ડેપો સૂમસામ ભાંસતો હતો, બસની અંદર રહેલી કેન્ટીનના સંચાલકને રોજની હજારોની નુકશાની વહન કરવાનો વારો આવ્યો છે. તસ્વીરમાં રઝળી રહેલા મુસાફરો તથા દરવાજા આડે રખાયેલ બસો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૮.૬)

(12:22 pm IST)