Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

તા.૨૪-૨૫ના રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ અને દેશભકિતના સમૂહગાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજન : ૨૦ હજાર છાત્રો સમૂહગાન કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવશે

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, પરિમલભાઈ પરડવા, જતીનભાઈ ભરાડ, હસુભાઈ માયાણી, હારૂનભાઈ નાકાણી, રાણાભાઈ ગોજીયા, અજયભાઈ રાજાણી, રાજભાઈ ઉપાધ્યાય, જીતેશભાઇ મકવાણા, રાજેશભાઈ મહેતા, કલ્પેશભાઈ સંખારવા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ : પ્રજાસત્તાક દિનની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહી છે ત્યારે તા.૨૪ના રોજ રેસકોર્ષ રીંગ રોડની ફરતે ૩૨ સ્ટેજ ઉપર સ્વનિર્ભર સંચાલક મંડળની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ભારતના કુલ ૨૯ રાજયોની કલા સંસ્કૃતિ લોકનૃત્ય તથા દેશભકિત પ્રસ્તુત કરી રાષ્ટ્રીય એકતા દર્શાવશે. આ સાથે નગર પ્રાથમિક સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમમાં રા.મ્યુ.કો.ના સહકારથી સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

તા.૨૪ને સાંજે ૬:૪૫ કલાકે મુખ્યમંત્રી દ્વારા રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ ૨૦૨૦નંુ ઉદ્દઘાટન કરવામાં આવશે અને તે સમયે રેસકોર્ષ રીંગ રોડની ફરતે સ્વનિર્ભર શાળાઓના તથા નગર પ્રાથમિક સમિતિના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ બાળકો અને બહેરા મુંગા બાળકો તેમજ અંધ બાળકો સહિત કુલ ૨૦ હજારથી વધુ બાળકો અને ૧૫૦૦થી વધુ શિક્ષકો વિદ્યાર્થી - સાંકળ બનાવી દેશભકિતના ગીતોનંુ સમૂહગાન કરશે. જયારે ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ એક સાથે દેશભકિતના સમૂહગાન કરશે ત્યારે આ ઈવેન્ટ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવશે. કાર્નિવલ તા.૨૪ અને ૨૫ બે દિવસ માટે સાંજે ૬ થી ૯ વાગ્યા દરમિયાન રહેશે.

જયારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાર્નિવલને નિહાળવા માટે રાજકોટના નાગરીકોને આમંત્રિત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે આયોજીત થઈ અને સફળ થાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ, જીનીયસ ગ્રુપના ડી.વી.મહેતા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ કારોબારી સભ્યો તેમજ હોદેદારો મહામંત્રી અવધેશ કાનગડ, ડી.કે.વાડોદરીયા, પરીમલ પરડવા, હસુભાઈ માયાણી, હારૂનભાઈ નાકાણી, રાણાભાઈ ગોજીયા, અજય રાજાણી, વિપુલ પાનેલીયા, પુષ્કર રાવલ, રાજ ઉપાધ્યાય, જીતેશ મકવાણા, રાજેશભાઈ મહેતા, કલ્પેશ સંખારવા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા તેમજ ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ તબકકે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ જીલ્લા વહીવટી તંત્ર કલેકટર, રા.મ્યુ.કો. કમિશ્નર, તેમજ પોલીસતંત્ર દ્વારા સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:24 pm IST)