Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૩૦મીએ આઈ શ્રી પીઠડ માતાજીની જન્મજયંતિ ઉત્સવઃ સામૈયુ-મહાઆરતી-લોકડાયરો-મહાપ્રસાદ

અખિલ મચ્છુ કઠીયા સઈ સુથાર સમસ્ત પીઠડીયા પરિવારનું આયોજન

રાજકોટ : શહેરના આંગણે આઈ શ્રી પીઠડ માતાજીની જન્મજયંતિ ઉત્સવનું આયોજન અખિલ મચ્છુ કઠીયા સઈ સુથાર સમસ્ત પીઠડીયા પરીવાર દ્વારા (વસંત પંચમી) તા.૩૦ના ગુરૂવારના રોજ કરેલ છે.

૩૦મીના પાવન પ્રસંગોમાં બપોરે ૪ કલાકે સામૈયુ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાજે ૭ કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ કલાકે લોકડાયરામાં કલાકારો - સંદીપ બારોટ અને પારૂલ પીઠડીયા, લોક સાહિત્યકાર મુકેશ બારોટ જમાવટ કરશે.

સ્થળ : ૧૫૦ ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક પાસે, ધ સ્પાપર સામે, હોટલ રોયલની બાજુની શેરી, રાજકોટ. કૌટુંબિક માહિતી પત્રક નવુ બનાવવાનું હોય તે માટેના ફોર્મ મેળવી લેવા.

આ આયોજનને સફળ બનાવવા માટે દિપકભાઈ પીઠડીયા (૯૮૨૫૦ ૭૨૪૦૫), વિનુભાઈ પીઠડીયા (૯૮૨૪૪ ૧૦૭૯૭), રણજીતભાઈ પીઠડીયા (૯૮૨૫૬ ૨૬૪૮૯), દિલીપભાઈ પીઠડીયા (૯૩૨૭૦ ૫૨૨૯૫), વ્રજલાલ પીઠડીયા (૯૮૨૪૪ ૧૭૩૩૬), મીનાબેન પીઠડીયા (૮૧૬૦૪ ૬૨૪૬૬), જીતુભાઈ પીઠડીયા તેમજ મીનાબેન જયેન્દ્રભાઇ પીઠડીયા - પ્રમુખ, તરૂલતાબેન વ્રજલાલભાઈ પીઠડીયા, અમિતાબેન શશીકાન્તભાઈ પીઠડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)