Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

શાસન ચંદ્રીકા ગુરૂણી

પૂ.હિરાબાઇ મ.સા.ના ૮૭માં જન્મદિને દરિદ્રોને કીટ,ખાદ્યસામગ્રી,ધાબળા તથા કપડા વિતરણ

રાજકોટ તા.રર : ગોંડલ સંપ્રદાયના ગુરૂણી શાસનચંદ્રીકા બા.બ્ર.પુ.હિરાબાઇ મહાસતીજીના ગત તા. ૧૪--૨૦૧૯ના રોજ ૮૭માં જન્મદિનની ઉજવણી વિશિષ્ટ રીતે થઇ હતી. જેમાં દામાણી પરિવારના સ્વજનો તથા ભકતવર્ગે ખૂબ સુંદર લાભ લીધો હતો. પૂ.ગુરૂણી શ્રી કોઇપણ જાતની ઉજવણી કરવામાં સંમત હતા જેથી માત્ર આત્મા આરાધના સહ રૂરીયાતમંદ પરિવારોને તથા દીન દુઃખી દરિદ્રોને શાતાદાયક કિટ વિતરણ અનેક પ્રકારની ખાદ્યસામગ્રી કડકડતી ઠંડીમાં શાતાદાયક હુંફાળા ધાબડા તથા વસ્ત્ર વિતરણ ઉપરાંત પરમ શ્રધ્ધેય પૂ.ગુરૂદેવશ્રી ધીર ગુરૂદેવની પ્રેરણાથી જીવદયામાં દાતાઓ તથા પૂ.ગુરૂણી ભગવંતના સ્વજનોને મનમુકીને દાન આપ્યુ હતુ.

પૂ.ગુરૂણીશ્રીની પ્રેરણાથી ચાલતુ માતૃશ્રી કમળાબેન શામળદાસ મહેતા સાધર્મિક સહાય યોજના ગીતગુર્જરી સંઘમાં તથા માનવતા પ્રેમી સુશ્રાવક રસીકલાલ સી.પારેખ પ્રેરીત માનવ સેવા યોજના બંને સંસ્થાઓમાં અનેકવિધ વસ્તુઓનુ વિતરણ થયેલ.

ઉપરાંત શ્રી નેમિનાથ વિતરાગ સંઘ સંચાલીત શ્રી વર્ધમાન યુવા ગ્રુપ દ્વારા કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા વિવિધ સંસ્થાઓમાં દૂધ, ફ્રુટ તથા બિસ્કિટ આદિ અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આમ પુ.ગુરૂણીના જન્મદિન નિમિતે અનેકવિધ માનવતાની પ્રવૃતિ તથા જીવદયાના કાર્યો થયેલ હતા. સ્તુત્ય કાર્યને સકલ સંઘોએ વધાવ્યુ હતુ.(૪૦.)

 

(4:18 pm IST)