Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સૂરસંસારનો ૨૫માં વર્ષમાં પગરણ : રૌપ્ય જયંતિ વર્ષ તરીકે ઉજવશે : ૧લી ફેબ્રુઆરીએ કાર્યક્રમ

સુપ્રસિદ્ધ ગાયિકા કવિતામૂર્તિ દેશપાંડે પોતાની આગવી અદામાં ગીતો પીરસશે

રાજકોટ, તા. ૨૨ : ફિલ્મી ગીત સંગીતની રાજકોટગ શહેરની સૌથી જૂની અને જાણીતી સંસ્થા 'સૂરસંસાર' સતત અડીખમ રહી એકપણ કાર્યક્રમ ચૂકયા વગર ૨૪મું વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. ૧ એપ્રિલ ૨૦૧૯થી સંસ્થાનું ૨૫મું વર્ષ 'રૌપ્ય જયંતિ વર્ષ' ચાલુ થશે.

'સૂરસંસાર'નો ૨૪માં વર્ષનો પાંચમો કાર્યક્રમ ૧લી ફેબ્રુઆરીના શુક્રવારે રાત્રે શ્રી હેમુગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાં સેંકડો સફળ કાર્યક્રમો આપી મશહુર થયેલા ગાયિકા કવિતામૂર્તિ દેશપાંડે અઠ્ઠાવીસ ગીતો પોતાની આગવી અદામાં રજૂ કરશે.

યુગલ ગીતોમાં તેમને સથવારો વડોદરાના અને રાજકોટના જાણીતા ગાયક શ્રી રાકેશ દવે કરશે. અવશ્ય રીતે દેશભરમાંથી આવતા મુખ્ય કલાકારોનું માનીતુ 'સૂરસંસાર કોરસ વૃંદ ગીત સંગીતના સુવર્ણ ઉપર સોને પે સુહાગા બની રહેશે. અવિસ્મરણીય ગીતોને સંગીત વૃંદનો સહારો શ્રી તાહિર અલી સૈયદ અને સાથીદારો કરશે.

ઉદ્દઘોષણમાં ઝલકારો કુ.સ્નેહલ તન્ના ચમકાવશે. સમગ્ર શ્રોતાઓને કાર્યક્રમ નજીકથી માણતા હોય તેવી કરામત સ્ટેજ પાછળના સ્ક્રીન પર ઓનલાઈન દૃશ્યાવીથી દર્શાવાશે.

સંસ્થામાં નવા સહભાગી થવા છચ્છતા સંગીત પ્રેમીઓ વેઈટીંગ લીસ્ટમાં પોતાના નામ, ફોન - ૦૨૮૧- ૨૫૭૭૫૬૩ ઉપર નોંધાવવા શ્રી ભગવતીભાઈ મોદીની યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૦)

(3:52 pm IST)