Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વિનાયક વાટીકાની ૧૧ વર્ષની નમ્રતાનું આંચકી ઉપડ્યા બાદ મોત

રાજકોટ તા. ૨૨: માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકા એમ બ્લોક બી-૬માં રહેતાં હોતચંદ ભેરૂમલ વાસુદેવાણીની દિકરી નમ્રતા (ઉ.૧૧)ને સાંજે આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડે જરૂરી કાર્યવાહી કરી હતી. નમ્રતા બે ભાઇ અને એક બહેનમાં નાની હતી અને જન્મથી જ બિમાર તથા પથારીવશ હતી. તેના પિતા પાણી સપ્લાયનું કામ કરે છે. દિકરીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:43 am IST)