Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાષ્ટ્રપતિ બપોર બાદ રાજકોટ આવતા હોય એરપોર્ટ ઉપર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિના કાફલાને ઉતારાયોઃ તાલુકા મામલતદારને જવાબદારી

રાજકોટ, તા. ૨૨ :. ગોંડલ ખાતે સ્વા. મંદિરમાં સાર્ધ શતાબ્દી મહોત્સવ સંદર્ભે આજે બપોર બાદ રાષ્ટ્રપતિ શ્રી રાજનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી વિગેરે ગોંડલ આવી રહ્યા હોય રાજકોટ અને ગોંડલ બન્ને સ્થળે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

રાજકોટ કલેકટર ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે આજે સવિશેષ રીપોર્ટ મેળવાયો હતો.

એરપોર્ટ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન અને ફુલપ્રુફ બંદોબસ્ત ગોઠવાયાનું કલેકટરે ઉમેર્યુ હતું.

સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિના કાફલાની વ્યવસ્થા કરાઈ હોય, પોલીસ તંત્રની સુરક્ષા ઉપરાંત તાલુકા મામલતદાર શ્રી ખાનપરાને જવાબદારી સોંપાયાનું ઉમેરાયુ હતું.

(11:49 am IST)