Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બેભાન હાલતમાં પ્રભાબેન વાછાણી અને જયાબેન જેઠવાના મોત

રાજકોટ તા. ૨૨: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ પાર્ક-૧માં રહેતાં પ્રભાબેન વલ્લભભાઇ વાછાણી (ઉ.૬૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી.વી. ખાંભલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ઝુલેલાલ મંદિર પાસે ન્યુ પરસાણાનગર-૧માં રહેતાં જયાબેન ડોસાભાઇ જેઠવા (ઉ.૮૦)ને રાત્રે દોઢેક વાગ્યે ઘરે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૭) 

(10:18 am IST)