Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

'તું કામ ચોરની દીકરી છો, કરીયાવર લાવી નથી' કહી કિન્નરીબેનને અમદાવાદમાં પતિ-સાસરીયાનો ત્રાસ

પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આક્ષેપઃ અમદાવાદના પતિ તન્મય મિસ્ત્રી, સસરા અશોકભાઇ, સાસુ પિનાક્ષીબેન અને નણંદ ખુશ્બુ સામે ગુનો

રાજકોટ, તા., ૨૧: ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની પાછળ યોગરાજનગર-૧ માં રહેતી મહિલાને અમદાવાદમાં પતિ, સાસુ, સસરા અને નણંદ 'તું કામ ચોરની દીકરી છો, કરીયાવર ઓછો લાવી છો' કહી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની પાછળ આનંદ રેસીડેન્સીની સામે યોગરાજનગર-૧માં માવતરના ઘરે રહેતા કિન્નરીબેન તન્મયભાઇ મિસ્ત્રી (ઉ.વ.૩૪)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં અમદાવાદ મણીનગરમાં ૧૪, કૃષ્ણધામ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ તન્મય અશોકભાઇ મિસ્ત્રી, સાસુ પિનાક્ષીબેન, સસરા અશોકભાઇ જગજીવનભાઇ મિસ્ત્રી અને નણંદ ખુશ્બુ આશીષભાઇ સીંગના નામ આપ્યા છે. કિન્નરીબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ર૦૧૩માં આર્ય સમાજમાં અમદાવાદ મણીનગરમાં કૃષ્ણધામ એપાર્ટમેન્ટમાં રહેતા તન્મય અશોકભાઇ મીસ્ત્રી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ , સાસુ, સસરા અને નણંદ સાથે સંયુકત પરીવારમાં રહેતા હતા. લગ્નના ત્રણ દિવસ બાદ સાસુ અને નણંદ મેણાટોણા મારવા લાગ્યા હતા અને કહેતા કે અમારે જોતો હતો તેટલો કરીયાવર લાવેલ નથી કહી કરીયાવરની માંગણી કરતા હતા અને કામ બાબતે નાની-નાની વાતમાં ઝઘડા કરતા હતા કે તું કામ ચોરની દીકરી છો અને અપશબ્દો પણ બોલતા હતા અને પતિને ચઢામણી કરતા તે પોતાની સાથે ઝઘડો કરી મારકુટ કરતા હતા અને કહેતા કે તારા પપ્પા કાંઇ કામ-ધંધો કરતા નથી ત્યાં ટીવી પણ નથી એવાના ઘરે કોણ જાય તેમ બોલી અપમાનીત કરતા હતા. અને ફ્રુટ-ડ્રાયફુટ પણ ગણીને રાખતા અને લેવાની ના પાડતા અને સસરાને રાત્રે સમયસર જમવાનું  ન આપતા તે વાસણ પછાડતા અને નણંદ અવાર નવાર કહેતા કે આ ઘર પર તારો કોઇ હક નથી, તુ તન્મયની પત્ની લાગતી નથી તેમ  મેણા ટોણા મારતા હતા. ર૦૧૩ માં પતિને પુનામાં નોકરી હોઇ જેથી પોતે ત્યાં રહેવા ગયા હતા. ત્યાં પણ પતિ પોતાને નોકરી કરવા માટે દબાણ કરતા હતા અને રાત્રે ઘરે પણ મોડા આવતા હતા. ત્યારે પણ મોબાઇલમાં વ્યસ્ત રહેતા અને પોતાની સાથે સારી રીતે વાત પણ કરતા નહી અને પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોઇ તે પણ ઘરે આવતી ત્યારે પોતે તેને જમવાનું આપેલ ન હોય જેથી પતિ ઝઘડો કરતા હતા અને તેના મોબાઇલમાં ખરાબ મેસેજની ખબર પડતા પતિએ ઝઘડો કરી મારમારી તને બદનામ કરીશ તેમ ધમકી આપી હતી અને બે યુવતીને એમેઝોનમાંથી ગીફટ મોકલાવી હોવાની ખબર પડતા પતિએ ઝઘડો કરી તું માવતરે જતી રહે તે કહેતા પોતે નવ માસ પહેલા રાજકોટ માવતરે આવી ગયા હતા. બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ આઇ.એમ.શેખએ તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)