Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા જાન્યુઆરીમાં સગપણ સંમેલન-ફેબ્રુઆરીમાં સમુહલગ્ન

સમિતિઓ દ્વારા તડામાર તૈયારીઃ વ્હેલી તકે ફોર્મ ભરી દેવાઃ નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટ,તા.૨૧ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન જ્ઞાતિજનોનો સેવા, સંગઠન અને ઉત્થાન માટે વિવિધ પ્રકારના સામાજીક કાર્યક્રમોનું આયોજન અવારનવાર કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ જ્ઞાતિ સમસ્તનાં નવનયુવાનો પોતાના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે તે માટે સગપણ સંમેલન તથા સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૭ જાન્યુઆરીના રવિવારે સગપણ સંમેલનનું આયોજન તથા આગામી તા.૫ ફેબ્રુઆરીના સોમવારના રોજ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ બંન્ને આયોજનો જ્ઞાતિ સમસ્ત દ્વારા સંપૂર્ણ પારિવારીક માહોલમાં કરવામાં આવશે. જેથી દરેક યુવક-યુવતી નિઃસંકોચ પણે પોતાની વાત સગપણ સંમેલનમાં રજુ કરી શકે અને પોતાના જીવનસાથી તરીકે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે.

 આ સગપણ સંમેલનમાં ભાગ લેવા ઈચ્છુક યુવક-યુવતીઓને તા.૧ જાન્યુઆરી સોમવાર સુધીમાં વહેલી તકે ફોર્મ ભરી પરત આપવા  સમુહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતા દંપતીઓને તા.૨૪ જાન્યુઆરી બુધવાર સુધીમાં ફોર્મ ભરીને પરત આપી દેવા. આ બન્ને કાર્યક્રમોનું આયોજન જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલીત મોહન માંડણ વિદ્યાર્થી ભવન, પુષ્કરધામ પાસે, નંદી પાર્ક, એસ.એન.કે. સ્કુલની બાજુમાં, યુનીવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખવમાં આવેલ છે.

સગપણ સંમેલન તથા સમહુલગ્નમાં ફોર્મ નીચે જણાવેલ સ્થળોએ સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૫ થી ૭ સુધીમાં મળશે.(૧) જીવરાજ હોસ્પિટલ-ગોપીનાથ કોમ્પલેક્ષ, ૧-ગોપાલ, (૨) સહયોગ હાર્ડવેર-દેવપરા માર્કેેટ, કોઠારીયા મેઈન રોડ (૩) પ્રભાત સીઝન સ્ટોરઃ આશાપુરા મેઈન રોડ, ૪૯ પ્રહલાદ પ્લોટ (૪) ધર્મભકિત ઈન્ટરીયર હાઉસ- ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મૌવા સર્કલ  (૫) પૂજા સ્ટેશનરી- ભગવતી હોલ બાજુમાં, હનુમાન મઢી ચોક, રૈયા રોડ(૬) જયંતભાઈ ગાંગાણી- એડવોકેટ એન્ડ નોટરી, શ્રી ચેમ્બર્સ, પ્રથમ માળે (૭) પાર્થ વિદ્યાલય- સહજાનંદ સોસાયટી, અવધ એપાર્ટમેન્ટ વાળો રોડ (૮) બીપીનભાઈ ચોટલીયા - બંગડી બજાર, ઘી કાંટા રોડ (૯) શ્યામવાડી- ગીતામંદિર પાસે

ફોર્મ ભરીને પરત શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તનું કાર્યાલય, ગ્રાઉન્ડ ફલોર, ગોપીનાથ કોમ્પલેક્ષ (શ્રી જીવરાજ હોસ્પીટલ), ૧-ગોપાલનગર, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે આપવાનાં રહેશે. વધુ માહિતી માટે જ્ઞાતિ સમસ્તના મંત્રી હરસુખભાઈ ચોટલીયા મો.૯૪૨૮૨ ૫૮૫૩૪ પર સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)