Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

... તાકે પદ વંદન કરૂ જય જય શ્રી જલારામ રાજકોટમાં ઠેરઠેર જલારામ વંદના

રાજકોટ : આજે પૂ. જલારામ બાપાની રર૧ મી જન્મ જયંતિ છે. કોરોના સંક્રમણને ધ્યાને લઇ ઉત્સવી કાર્યક્રમો બંધ રખાયા છે. લોકો ઘરે ઘરે પૂજા અર્ચના કરી પૂ. જલારામ બાપાની ભકિતમાં જોડાયા છે. ઠેરઠેર  સાદગીભેર આરતી-પ્રાર્થનાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. રાજકોટના ભીલવાસ ખાતેના શ્રી જલારામ પ્રાર્થના મંદિરે આજે સવારે સોશ્યલ ડીસ્ટન્સ પાલન સાથે ભાવિકોની મર્યાદીત સંખ્યામાં પૂ. જલારામ બાપાની મુર્તિ સમક્ષ દીપપ્રાગટય કરવામાં આવેલ તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:51 am IST)