Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સર્જન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમીલનઃ સેવા પ્રવૃતિઓને બીરદાવાઈ

રાજકોટઃ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના અધ્યક્ષ સ્થાને અને મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અતુલ પંડીત, કાળુમામા, વિનુભાઈ પરમાર, માધવભાઈ દવે, હેરભાસાહેબ, એઝાઝભાઈ બુખારી અને ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝ પેપર એડીટર કાઉન્સીલના ચેરમેન યશવંતભાઈ જનાણી, મંત્રી એચ.એ.નકાણી વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું.

સ્નેહ મિલન સમારોહનું દિપ પ્રાગટય કરતાં કમલેશભાઈ મીરાણીએ જણાવ્યુ હતું કે, સર્જન નામ સાંભળતા જ કંઈક નવું સર્જન કરવાના ધ્યેય સાથે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના થયેલ છે અને મને ગૌરવ થાય છે કે આ ટ્રસ્ટની સ્થાપના વખતે પણ મારા હસ્તે ઉદ્ઘાટન થયેલ છે. ઘેર ઘેર તુલશી માતાના રોપાનું વિતરણ સુરેશભાઈ પરમાર, રમાબેન હેરભા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે.

આ સ્નેહ મિલન સમારોહના ઉદ્ઘાટન પૂર્વે વિધ્નહર્તા ગણપતિદાદાની સ્તુતી ગુણવંતભાઈ ભટ્ટે ગવડાવીને કાર્યક્રમનો શુભારંભ કરાવેલ હતો. આ સ્નેહ મિલન સમારોહમાં અતુલભાઈ પંડીતની ભાજપ વોર્ડ નં.૨ના પ્રમુખ તરીકે નિયુકતી થતાં તેમનું સન્માન સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ પરમાર, મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા તેમજ સર્વે સભ્યોએ શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.

આ સ્નેહ મિલન સમારોહના આયોજનમાં પ્રમુખ સુરેશભાઈ પરમાર (મો.૯૮૨૪૩ ૧૩૯૧૪) અને મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાના માર્ગદર્શન હેઠળ ગુણવંતભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ વોરા, હેમતસિંહ ડોડીયા, પ્રભાબેન વસોયા, દિવ્યાબેન રાઠોડ, નાથાભાઈ ડોડીયા, દિપાબેન કાચા, રેશ્માબેન સોલંકી, દેવયાનીબેન રાવલ, હર્ષીદાબેન કનોજીયા, શ્રધ્ધાબેન સીમેજીયા, સોનલબેન કાચા, હેતલબેન બારડ, દિલ્પાબેન મકવાણા, પલ્લવીબેન ચૌહાણ, મીનાક્ષીબેન લીંબાસીયા, રચનાબેન રૂપારેલ, રશ્મિબેન લીંબાસીયા, ખ્યાતીબેન ભટ્ટ, શીતલબેન શાહ, વર્ષાબેન નિમાવત તેમજ કિરીટભાઈ કાનાબાર, ચેતનભાઈ ચૌહાણ, રાજેશભાઈ સિધ્ધપુરા, દિપકભાઈ ભટ્ટ, વિજયભાઈ પંડયા, જયસુખભાઈ ખેવલાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આભાર દર્શન દિપાબેન કાચાએ કરેલ હતું.

(3:21 pm IST)