Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બંધ કરાવાયેલ સુલભ શૌચાલય ખોલાવતા કોંગ્રેસ પ્રવકતા

ગઈકાલે ૮૦ ફૂટ રોડ પર સુલભ શૌચાલય પાસેની ઓરડીમાં હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસે સુલભ કોન્ટ્રાકટરને પૂછપરછ માટે લઈ ગયા હતા અને શૌચાલયને તાળુ લગાવી દીધુ હતું. આથી કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ જવાબદાર પોલીસ અધિકારીને આ જાહેર સેવાનું તાળુ ખોલવા રજૂઆત કરી હતી. આથી બન્ને વચ્ચે થોડી શાબ્દીક ટપાટપી બાદ અંતે શૌચાલયનું તાળુ ખોલી દેવાયું હતું તેમ ગજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયુ છે. તસ્વીરમાં શૌચાલયને તાળુ મરાયુ હતુ તે નજરે પડે છે

(4:08 pm IST)