Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

હડીયાણા ચોવીસી ઔદિચ્ય બ્રહ્મસમાજનું સ્નેહ મિલન : જ્ઞાતિરત્નોનું સન્માન

રાજકોટ : તાજેતરમાં હડીયાણા ચોવીસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા દીવાનપરા બ્રહ્મપુરી ખાતે બ્રહ્મસમાજનું સ્નેહ મિલન તેમજ સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતુ. આ તકે વિવિધ તળગોળના પ્રમુખો તેમજ જ્ઞાતિરત્નોનું સન્માન કરાયુ હતુ. ૭૦૦ થી વધુ જ્ઞાતિ સભ્યો ઉપસ્થિત રહેલ. મુખ્ય મહેમાન તરીકે અભયભાઇ ભારદ્વાજ, નીતીનભાઇ ભારદ્વાજ, પ્રદીપભાઇ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રમુખ જનાર્દનભાઇ આચાર્યનું બ્રહ્મપુરીના ટ્રસ્ટી અનિલભાઇ ત્રિવેદી તથા હિમાંશુભાઇ શુકલ દ્વારા શાલ ઓઢાડી ઋણ સ્વીકાર કરવામાં આવેલ. હળવદ બ્રાહ્મણ બોર્ડીંગના નવનિયુકત પ્રમુખ જયેશભાઇ જાનીનું ટ્રસ્ટી સ્મિતલભાઇ ત્રિવેદી, ટ્રસ્ટી ભગીરથભાઇ શુકલ દ્વારા સન્માન કરાયુ હતુ. મોરબી વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ પ્રભુભાઇ ત્રિવેદી અને શ્રીગોળ સોરઠીયા બ્રહ્મસમાજના પ્રમુખ શિરીષભાઇ ભટ્ટનું તેમજ બ્રહ્મપુરીના પાયાના પત્થર અને જીવન કોમર્શીયલ બેંકના ડાયરેકટર કશ્યપભાઇ રાવલનું તથા ઔદિચ્ય ઝાલાવાડી સતર તાલુકા બ્રહ્મસમાજના જે. પી. ત્રિવેદીનું વિશેષ સન્માન પ્રમુખ તેજસ ત્રિવેદી દ્વારા કરાયુ હતુ. સમાજના કાર્યોમાં સતત સાથે રહેતા માનવ વ્યાસ, નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, જીજ્ઞેશ ભટ્ટ, રાજા જોષીનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઇ જોષીએ કરેલ. સ્નેહ મિલન અને સુંદરકાંડ પાઠ કાર્યક્રમને સફળ બનાવવા જીતુભાઇ ત્રિવેદી, શિરીષભાઇ વ્યાસ, જયદીપભાઇ ત્રિવદદદી, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, જીતુભાઇ ઠાકર વગેરે તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.  તેમ નિશાંત ત્રિવેદી (મો.૯૯૨૪૪ ૦૫૮૬૮) ની યાદીમાં જણાવાયુ છે.

(4:07 pm IST)