Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રપમીએ સાધુ વાસવાણી મીટ લેસ ડે કતલખાના બંધ રાખવા જાહેરનામુ

રાજકોટ તા. ૨૧: આગામી '' સાધુ વાસવાણી મીટ લેસ ડે'' નિમિતે તા. રપના રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારના આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છીનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯, અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા મ્યુ.કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)