Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રણછોડનગરમાંથી મોહનભાઇ નેપાળી ગૂમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

મુંબઇથી પુત્ર સારવાર કરાવવા લાવ્યો ને ખોવાઇ ગયા

રાજકોટ તા. ૨૧: રણછોડનગર શેરી નં. ૧૬/૧૪ના ખુણે આવેલા મુફદ્દલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં રહી ચોકીદારી કરતાં નેપાળી યુવાન રવિ મોહનભાઇ કંડારાએ પોતાના પિતા મોહનભાઇ બલવીરસિંગ કંડારા (ઉ.૪૫) તા. ૧૯ના રાત્રે બે થી અઢી વચ્ચે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ ગયાની જાણ બી-ડિવીઝન પોલીસને કરી છે. રવિના કહેવા મુજબ તેના પિતા માનસિક અસ્વસ્થ છે અને તે મુંબઇ રહે છે. પોતે તેની સારવાર માટે તેને ગયા શુક્રવારે જ રાજકોટ લાવ્યો હતો. તસ્વીરમાં દેખાતાં મોહનભાઇ નેપાળી કોઇને જોવા મળે તો બી-ડિવીઝન પોલીસને ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ અથવા મો. ૯૭૨૩૦ ૧૬૬૨૪ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(3:44 pm IST)