Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

માનસિક બિમારીથી કંટાળી શાપરમાં જમાલભાઇ પતાણીનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળમાં જુમ્‍મા મસ્‍જીદ પાસે રહેતાં જમાલભાઇ સુલેમાનભાઇ પતાણી (સુમરા) (ઉ.૪૨)એ ગઇકાલે સવારે ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર જાણ કરી હતી.

આપઘાત કરનાર જમાલભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. જમાલભાઇને પાંચેક વર્ષથી માનસિક બિમારી લાગુ પડી હોઇ કામે પણ જતાં નહોતાં અને ઘરે જ રહેતાં હતાં. ગઇકાલે સવારે ઘરે એકલા હોઇ ઝેરી દવા પી લીધી હતી. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(12:30 pm IST)