Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રૈયાધારમાં માનસીક બિમારીથી કંટાળી વાલજીભાઇ પારધીનો એસીડ પી આપઘાત

રાજકોટ તા.૨૧: રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા વણકર પ્રોૈઢે માનસીક બિમારીથી કંટાળી એસીડ પી આત્‍મ હત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ રૈયાધાર મફતીયાપરામાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતા વાલજીભાઇ વશરામભાઇ પારધી (ઉ.વ.૫૦)એ ગઇકાલે પોતાના ઘરે એસીડ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક વાલજીભાઇને સંતાનમાં બે પુત્ર છે. તે ઘણા સમયથી માનસીક બિમારીથી પીડાતા હોઇ, સારવાર કરવા છતાં ફેર ન પડતા તેથી કંટાળી તેણે આ પગલું ભર્યેુ હોવાનું ખુલ્‍યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ વિવેકભાઇ તથા પ્રદિપભાઇ કોટકે કાર્યવાહી કરી હતી.

(12:30 pm IST)