Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રેલનગરના શ્રીનાથદ્વારા સોસાયટીમાં પેવર ડામર રોડના કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૩માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૩ રેલનગર વિસ્તારમાં આવેલ  શ્રીનાથદ્વારા સોસાયટીમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની રૂ.૧૫ લાખની ગ્રાન્ટમાંથી આખા વિસ્તારમાં પેવર ડામર રોડ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરિયાનાણી, હિતેશભાઈ રાવલ, યુવા ભાજપ મહામંત્રી દિગુભા જેઠવા, જીતેન્દ્રભાઈ જોષી, વિજયભાઈ ગઢવી, જયવંતસિંહ સરવૈયા, સિધ્ધરાજસિંહ જાડેજા, ચતુરસિંહ જાડેજા, વર્ષબા જાડેજા, મીનાબા જાડેજા, પ્રફુલાબેન સોંડાગર,ફૂલગરભાઈ ગોસાઈ, મહાવીરસિંહ જાડેજા, અશ્વિનભાઈ, વી.સી. પટેલ વિગેરે સહીતના વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)