Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કીર્તીદાન દ્વારા 'કામધેનુ દીપાવલી' અભિયાનને સમર્થન

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ દિવાળીએ 'કામધેનુ દિપાવલી' અભિયાન શરૃ કરાયુ છે. ગૌમાતાના ગોબરમાંથી બનેલ દિવડા ઘરે ઘરે પ્રગટે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવીએ પણ આ અભિયાનને સમર્થન આપી પ્રસન્નતા વ્યકત કરી હતી. આ તકે કીર્તીદાનનું 'ગોમય દિવા' અર્પણ કરી મિતલ ખેતાણી, અમર તલવારકરે અભિવાદન કર્યુ હતુ. તે સમયની તસ્વીર અહીં નજરે પડે છે.

(3:12 pm IST)