Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ર૩ થી ૩૧ સુધી રાજકોટ એસ.ટી. ડેપો ઉપરથી રપ એકસ્ટ્રા બસો દોડશેઃ સુરત સ્પે. ૮૦ મોકલાશે

સુરતથી સૌરાષ્ટ્રવાસીઓને લાવવા રાજકોટ ડિવીઝને ૮૦ બસો ફાળવી

રાજકોટ તા. ર૧: આગામી દિપાવલી તહેવારોને અનુલક્ષી રાજકોટ એસ.ટી. ડીવીઝન ઝાલોદ-દાહોદ-ગોધરા અને જરૂર પડયે તે શહેરમાં (અમદાવાદ) જવા માટે મુસાફરો માટે ખાસ રપ એકસ્ટ્રા બસો દોડાવશે તેમ ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે ''અકિલા''ને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે તા. ર૩થી ૩૧ સુધી દોડાવાશે, જયારે સુરત સ્પે. ૮૦ એકસ્ટ્રા બસો રાજકોટથી મોકલાશે, અને આ બસો દ્વારા સુરતથી દિવાળી કરવા સૌરાષ્ટ્ર-રાજકોટ તરફ આવતા લોકોને લવાશે.

(3:54 pm IST)