Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

રોગચાળાની જનજાગૃતિની પત્રીકાઓ પસ્તી બનીઃ સ્ટોરમાં થપ્પાઃ કોંગ્રેસ

ઘરે-ઘરે માહિતી આપવામાં તંત્ર નિષ્ફળઃ જાગૃતીબેન ડાંગરનો આક્ષેપ

રાજકોટ, તા. ૨૧ :. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે ત્યારે જનજાગૃતિઓની પત્રીકાઓ ઘરે-ઘરે પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યાનું વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે જાગૃતીબેન ડાંગરે જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને મેલેરીયા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતી ફેલાય એ માટે પત્રીકા છપાવવામાં આવે છે પરંતુ તેનુ વિતરણ થતુ જ નથી ફકત સ્ટોરમાં પસ્તી બની રહે છે.

(3:54 pm IST)