Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વાહન અકસ્માત ઇજાના કેસમાં પકડાયેલ આરોપીનો છુટકારો

રાજકોટ, તા. ર૧: રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટેટ (ટ્રાફીક)ની કોર્ટમાં ફોજદારી કેસના ૩૯૯૭/૧૩૪ના કામે આરોપી અજય મોહનભાઇ સગરીયા રહેવાસી રાજકોટ વાળાને આઇપીસી કલમ ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્હીકલ એકટની કલમ ૧૩૪, ૧૮૪, ૧૭૭ના કામે આરોપીએ પોતાના હવાલા વાળુ મોટર સાઇકલ પૂર ઝડપે, બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી આ કામના ફરીયાદી ગનુબેન વિક્રમભાઇ રાઠોડ ચાલીને રોડ ક્રોસ કરતા હોય તેને રોડ ઉપર હડફેટે લઇ એકસીડન્ટ કરી ફરીયાદીને ફ્રેકચર જેવી ઇજા પહોંચાડી તે કામની ટ્રાયલ કોર્ટમાં ચાલી જતા આરોપીને ગુન્હાના કામે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આરોપીના વકીલ તરીકે હિતેન્દ્રગીરી આર. ગોસ્વામીની દલીલો તથા વિવિધ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ધ્યાને લઇ નિર્દોષ છોડી મૂકેલ છે.

(3:52 pm IST)