Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ખત્રીવાડમાં છરીથી હુમલો કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા.૨૧: રાજકોટના જયુ.મેજી.ફરીયાદી મહેબુબ હબીબ ઓડીયા ઉપર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડવાના ગુનામાં આરોપી ફિરોઝ ઝીકર મોટલીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

બનાવની હકિકત એવી છે તા.૧૨-૨-૨૦૧૭ના રોજ વહેલી સવારે ચાર વાગે ખત્રીવાડમાં જુમા મસ્જીદ ચોકમાં મહેબુબ હબીબ ઓડીયા પહોંચતા મેમણ ફિરોઝ ઝીકર તથા અલ્તાફ ઝીકરે મેહબુબ ઓડીયા ઉપર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડેલ અને તેમના મોટર સાયકલની તોડફોડ કરેલી જેથી એ ડીવીઝન પોલીસે ઇ.પી.કો.કલમ ૩૨૫,૪૦૩ વિગેરે ના ગુન્હામાં આરોપીઓની ધરપકડ કરેલ.આ અંગેનો કેસ રાજકોટ જયુ.મેજી.ની કોર્ટમાં ચાલી જતા પુરાવાના અભાવે કોર્ટે ફિરોઝ ઝીકર ભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે. આરોપીના એડવોકેટ તરીકે નિલેષભાઇ દવે, બહાદુરસિંહ ઝાલા, શિવરાજસિંહ ઝાલા તથા ધર્મિષ્ઠાબા જાડેજા રોકાયેલા હતા.

(3:51 pm IST)