Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો.પ્રકાશ મોઢાના જન્મદિને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ : ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો.પ્રકાશ મોઢા (ન્યુરો અને સ્પાઈન સર્જન)ના ૬૬માં જન્મદિવસે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સામાન્ય રીતે રવિવારે રજા હોવાથી દર્દી તથા તેમના સગા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આવી શકે તે હેતુથી તા.૨૫ને બદલે ૨૦મી ઓકટોબરે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) ખાતે મે ૨૦૧૯થી કાર્યરત છે. સર્વરોગ ફ્રી નિદાન કેમ્પમાં ક્રિટીકલ કેર નિષ્ણાંત, જ્ઞાનતંતુ અને વર્ટીગોના નિષ્ણાં, કમળો, પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ફેકચર - ટ્રોમા અને હાડકાના રોગોના નિષ્ણાંત, મગજ અને કરોડરજ્જુના રોગોના નિષ્ણાંત, હૃદયરોગને લગતી બિમારીના નિષ્ણાંત તથા પથરી - પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગને લગતી બિમારીને લગતી સારવારના નિષ્ણાંત દ્વારા કેમ્પમાં ભાગ લીધેલ તમામ દર્દીઓને નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવેલ. આ ઉપરાંત જે દર્દીઓને લોહીની તપાસ અથવા રેડીયોલોજીને લગતી તપાસની જરૂર હતી તેમાં પણ ૫૦% રાહતદરે તપાસ કરી આપવામાં આવેલ. ૧૩૫થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો તેમ યાદીમાં જણાવાયુ છે.

(3:51 pm IST)