Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પાર્શ્વનાથ કો.ઓપ. બેન્કની સભામાં ૧૨ ટકા ડિવિડન્ડની જાહેરાત

રાજકોટઃ શ્રી પાર્શ્વનાથ કો.ઓપ. બેન્ક લી.ની ૨૫મી વાર્ષિક સાધારણ સભા મળેલ હતી. બેન્કના એમ.ડી. પિયુષભાઈ મહેતા દ્વારા સભાસદોનું સ્વાગત કરવામાં આવેલ હતું. બેન્ક દ્વારા ૧૨ટકા લેખે ડિવિડન્ડ ચુકવવાની તથા ચાલુ વર્ષે સભાસદ ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવેલ હતી. ZERO NPA બેન્ક છે બેન્કના બોર્ડ મેમ્બર ઘનશ્યામભાઈ ધોળકીયા- ચેરમેન, હરેશભાઈ વોરા, સુભાષભાઈ બાવીસી, નલીનભાઈ ઝવેરી, ચંદ્રેશભાઈ મહેતા, ફ્રેનીબેન પારેખ, અનિલભાઈ આર. દેસાઈ, ધ્રુવિકભાઈ જી. તળાવીયા, સમીરભાઈ એમ. ગામી, છાયાબેન ડી.ગોહેલ ઉપસ્થિત રહેલ. આભાર વિધિ બેન્કના સીઈઓ ભાવેશભાઈ મોદીએ કરેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:01 pm IST)