Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પંચનાથ પ્લોટમાં અજાણ્યા યુવાનનું બીમારી સબબ મોત

રાજકોટ તા.૨૧: પંચનાથ પ્લોટમાં મંદીર પાસે એક અજાણ્યા યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ પંચનાથ પ્લોટ શેરી નં.૧૫માં એક વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા તેનુ મોત નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ પ્રનગર પોલીસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગરાણાએ તપાસ આદરી છે. મૃતક યુવાને સફેદ લાઇનીંગવાળો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ છે તેનું બીમારીના કારણે મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોનનંબર ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:27 pm IST)