Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગોકુલધામ-આંબેડકરનગરમાં જીજ્ઞાબેનને સંતાનસુખ ન મળતાં ફાંસો ખાઇ આપઘાત

કાલાવડના ડેરી ગામે માવતર ધરાવતાં વણકર પરિણીતાના આઠ વર્ષ પહેલા લગ્ન થયા'તા

રાજકોટ તા. ૨૧: ગોકુલધામ પાસે આંંબેડકરનગર શેરી નં. ૯માં રહેતી જીજ્ઞાબેન કિરણભાઇ બાબરીયા (ઉ.૩૦) નામની વણકર પરિણીતાએ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સંતાન સુખ પ્રાપ્ત ન થતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

જીજ્ઞાબેન ગઇકાલે બપોરે જમ્યા બાદ પોતાના રૂમમાં સુવા ગયા હતાં. એ પછી ત્રણેક વાગ્યા બાદ જેઠ ગોૈતમભાઇએ તેને જગાડવા માટે દરવાજો ખખડાવતાં નહિ ખોલતાં ઉપરની નાની બારી તોડી અંદરની સ્ટોપર ખોલીને જોતાં જીજ્ઞાબેન લટકતા જોવા મળતાં પરિવારજનોએ ભેગા થઇ તેમને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અહિ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દીધો હતો.

આપઘાત કરનાર જીજ્ઞાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. પતિ હીરાઘસુ છે. તેણીના માવતર કાલાવડના ડેરી વડાળા ગામે રહે છે. લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત ન થતાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. માલવીયાનગર પોલીસ વધુ તપાસ કરે છે.

(11:27 am IST)