Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

શામજીભાઈ કાકડીયાની પૂણ્યતિથિએ કાલે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ - રકતદાન કેમ્પ

રાજકોટ, તા. ૨૧ : વીર ફાઉન્ડેશનના પ્રમુખ પરાગ કાકડીયાના પિતાશ્રી સ્વ.શામજીભાઈ દેવશીભાઈ કાકડીયાની પ્રથમ પૂથ્યતિથિ નિમિતે આવતીકાલે તા.૨૨ના શનિવારે સવારે ૧૦ થી ૧ સુધી સરદાર પટેલ આરોગ્ય ભવન (જૂની સાગર સોસાયટી, ૮૦ ફૂટ મેઈન રોડ, વિવેકાનંદ નગરની બાજુમાં, કોઠારીયા મેઈન રોડ) ખાતે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં શહેરના નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપશે. રકતદાતાઓએ રકતદાન કરી માનવધર્મ વીર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પરાગ કાકડીયા (મો.૯૪૦૯૭ ૮૩૬૩૨), ઉપપ્રમુખ રાજેન્દ્ર બરાડીયા, મંત્રી ચેતન હુંબલ અને સભ્ય અમિત ભાલાળા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)